વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને કહીએ,  જે  પીડ પરાઈ  જાણે રે;

પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક

                                                                     

સકળ  લોકમાં  સહુને  વંદે.   નિંદા  ન  કરે  કેની  રે; 

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..
                                                             

સમદ્રષ્ટિને  ને  તૃષ્ણા  ત્યાગી,  પરસ્ત્રી  જેને  માત રે;

જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ  ઝાલે હાથ રે… વૈષ્ણવ..
                                                                 

મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..
                                                               

વણલોભી  ને  કપટ  રહિત  છે,  કામ ક્રોધ  નિવાર્યા રે;

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,  કુળ એકોતેર  તાર્યાં રે… વૈષ્ણવ..

                                                     

-   નરસિંહ મહેતા

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/07/22/vaishnav_jan_narasinh_mehta/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment