હે પરમ પ્રભુ

અમારા વિચારોને એટલા ઉદાર કરો કે

બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ.

અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે

બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.

અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે

બીજાંઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.

અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે

બીજાંઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.

અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે

પોતાના ને પારકાના ભેદથી ઓપર ઊઠી શકીએ.

હે પરમાત્મા,

અમારી દ્રષ્ટિને એટલી ઉજ્જવળ કરો કે

જગતમાં રહેલાં તમારાં સૌંદર્યો ને સત્યો અમે નીરખી શકીએ.

અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે

તમારા તરફથી અનેકવિધ રૂપમાં આવતા સંકેતો

પારખી શકીએ અને તમારું માર્ગદર્શન પામી શકીએ.

                             

સાભાર:

અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2

સ્વામિનારાયણ અક્ષરપીઠ

શાહીબાગ, અમદાવાદ- 380004 

       

  

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/08/26/he_param_prabhu/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment