મીરાંને આશ્વાસન – ન.પ્ર.બુચ

જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?……દેવળ.

ઊડી ગયો હંસલો જો,
પાળી બીજો લેને તો;
અથવા પિંજર બીજાને
દઇ દે —-થયું !…..દેવળ.

દાંતો પડિયા જો તારા,
દાંતના દાક્તર સારા,
શેરી ગલિયુંમાં એની
દુકાનું થિયું. …….દેવળ.

પ્રેમપ્યાલો ના કિન્તુ
ચાહનો પ્યાલો પી તું.
નટવર નાગર કે’ તારું
દુ:ખ, તો ગીયું. …….દેવળ.

ન.પ્ર.બુચ

( મીરાંબાઇની પ્રસિધ્ધ રચનાનું પ્રતિકાવ્ય )

આ કાવ્ય ટાઇપ કરીને મોક્લવા માટે શ્રી. જુગલ કિશોર વ્યાસનો આભાર.

Published in: on October 22, 2006 at 5:03 am Comments (3)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/10/22/mirane_aswasan_n_p_buch/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. [...] #  રચના – 1 -   :   – 2 – [...]

  2. મજા પડી… સુંદર પ્રતિકાવ્ય…

  3. :-) :-)


Leave a Comment