મીરાંને આશ્વાસન - ન.પ્ર.બુચ

જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?……દેવળ.

ઊડી ગયો હંસલો જો,
પાળી બીજો લેને તો;
અથવા પિંજર બીજાને
દઇ દે —-થયું !…..દેવળ.

દાંતો પડિયા જો તારા,
દાંતના દાક્તર સારા,
શેરી ગલિયુંમાં એની
દુકાનું થિયું. …….દેવળ.

પ્રેમપ્યાલો ના કિન્તુ
ચાહનો પ્યાલો પી તું.
નટવર નાગર કે’ તારું
દુ:ખ, તો ગીયું. …….દેવળ.

ન.પ્ર.બુચ

( મીરાંબાઇની પ્રસિધ્ધ રચનાનું પ્રતિકાવ્ય )

આ કાવ્ય ટાઇપ કરીને મોક્લવા માટે શ્રી. જુગલ કિશોર વ્યાસનો આભાર.

Published in: on October 22, 2006 at 5:03 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/10/22/mirane_aswasan_n_p_buch/trackback/

RSS feed for comments on this post.

3 Comments Leave a comment.

  1. On October 22, 2006 at 5:25 am નટવરલાલ પ્ર.બુચ « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] #  રચના - 1 -   :   - 2 - [...]

  2. On October 23, 2006 at 9:08 am વિવેક Said:

    મજા પડી… સુંદર પ્રતિકાવ્ય…

  3. On October 23, 2006 at 11:10 am Urmi Saagar Said:

    :-) :-)

Leave a Comment