નિર્વેદ- ગુણવંત શાહ

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું!

કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.

સમદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.

હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

- ગુણવંત શાહ 

ઝાકળની નાનીશી દુનિયા કે, માનવનો નાનો શો ફલક તૂટી પડે ત્યારે થતી, નિર્વેદની, નીરાશાની લાગણીની અભિવ્યક્તિ આ ગદ્યના સ્વામીએ કેટલી સજીવારોપણથી ભરપુર રીતે કરી છે?

Published in: on October 30, 2006 at 10:18 am Comments (4)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/10/30/nirved_gunavant_shah/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. [...] #  ” ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું .        દરિયાની ભુરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું ! ” [...]

  2. રોચક અને કાવ્યમય શૈલીથી લલિત નિબંધના સાહિત્યસ્વરૂપને નવીન પરિમાણ આપનારા અને ગૂર્જર ઘરોમાં ઠેરઠેર વંચાતા એવા પૂજ્ય ગુણવંતભાઈ શાહ આવી સ-રસ કવિતા પણ લખે છે જાણી વિશેષ આનંદ અનુભવ્યો. આભાર.

  3. એમના વિરાટને હિંડોળે પુસ્તકમાંના ચૂંટેલા આસ્વાદ્ય અવતરણો પણ આપ માણી શકો છો આ બ્લોગ પર.

  4. very good writer, panetreting his ideas in a narrow space . I am his regular reader . will be more happy to listen if he has any programme please let me know


Leave a Comment