મેરુ રે ડગે – ગંગાસતી

ગંગાસતી

         

મેરુ રે ડગે 

        

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે

મરને ભાંગી રે પડે ભરમાંડ રે;

વિપદ પડે પણ વણસે નહિ,

ઈ તો હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..

         

ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને

શીશ તો કર્યા કુરબાન રે.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,

જેણે મેલ્યાં અંતરનાં માન રે.. મેરુ રે..

          

ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને

જેને આઠે પો’ર આનંદ રે.

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.. મેરુ રે..

          

ભાઈ રે! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઈ

રાખજો વચનુંમાં વિશવાસ રે,

ગંગા રે સતી એમ બોલિયાં રે,

તમે થાજો સતગુરુજીનાં દાસ રે.. મેરુ રે..

        

ગંગાસતી

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં રચાયેલાં એમનાં ભક્તિપદો મહ્દંશે પાનબાઈને સંબોધીને છે.    

   

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/03/%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%ab%81-%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a1%e0%aa%97%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. તેમના જીવન વિશે વાંચો -
    https://sureshbjani.wordpress.com/2006/06/23/ganga_sati/


Leave a Comment