રે શિર સાટે નટવરને વરીએ

બ્રહ્માનંદ સ્વામી

       

રે શિર સાટે નટવરને વરીએ

       

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;

    

રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું.

      

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર..

         

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..

           

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..

             

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર..

          

બ્રહ્માનંદ સ્વામી      

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2006/12/03/%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%a8%e0%aa%9f%e0%aa%b5%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%80%e0%aa%8f/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. જીવન વિશે વાંચો -
    http://sureshbjani.wordpress.com/2006/11/28/brahmaanand/


Leave a Comment