બ્રહ્માનંદ સ્વામી
રે શિર સાટે નટવરને વરીએ
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;
રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;
એ હરિ સારુ માથું ઘોળ્યું.
રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;
ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર..
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;
જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર..
બ્રહ્માનંદ સ્વામી
જીવન વિશે વાંચો -
http://sureshbjani.wordpress.com/2006/11/28/brahmaanand/