મને તો લાગી’તી
વિશાળીશી પૃથ્વી જલધિભર આ કુંભ સરખી !
ખીલેલાં પદ્મોની પગથી પર શી ચન્દ્ર સુરભિ.
ત્યહીં વેગે વાયા શિશિર–વરણા વાયુ, હમણાં
ખરેલાં પર્ણોમાં વ્યરથ ભટકે મુગ્ધ હરણાં
તિરાડે પૃથ્વીની સ્વપન સમ એ ક્લાન્ત રઝળે;
હવે તો મારો આ સૂરજ શમતો ર્ હે મૃગજળે.
પલાણે અશ્વોને પવન ત્યમ સંબંધ સરતો…
ધસી આવેલાં હ્યાં સમદર તણાં જે જલ, હવે
કિનારે રેતીમાં અરવ થઇ રેખા, તગતગે.
વ્રણોમાં વ્યાપેલું, સ્મરણ-રણ આખુંય સળગે.
- અને ફૂલો, વૃક્ષો, 000000 તે શુ હવે
રહ્યાં જૂના કેલેન્ડર સમ દીવાલે લટકતાં.
- જગદીશ જોશી
યુવાનીમાં જે સંબંધ સ્વર્ગીય લાગતો હોય, જીવનની એક સોહામણી છબી ચીતરી હોય; તે કાળક્રમે કેવું શુષ્ક સ્વરૂપ ધારણ કરે છે તેનું આ શબ્દ ચિત્ર કવિતાને વાસ્તવિકતાના સ્તરે ખેંચી જાય છે.
[...] રચનાઓ : – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 [...]
અશ્વોને પલાણતા પવનની અને સરતા સંબંધની વાત ….. આવી વાત જગદીશ જોષી સમા હોનહાર કવિની કલમથી જ નીપજે!
મનને ઉદ્વિગ્ન કરે તોયે માણવા જેવી કૃતિ … હરીશ દવે અમદાવાદ