તો શું? - પ્રફુલ્લ દવે

શબ્દમાં અક્ષર આઘોપાછો થાય તો શું?
તટે સમંદર આઘોપાછો થાય તો શું?

સાત સૂરોનો ખેલ, ખેલમાં કોઇ સૂર જો,
લયની અંદર આઘોપાછો થાય તો શું?

આવડું મોટું ‘ઘર’, ‘ને ઘરનો કોઇ ખૂણો,
ઘરની અંદર આઘોપાછો થાય તો શું?

ટુકડા જોડી બનતો નકશો, કોઇ ટુકડો
નકશા અદર આઘોપાછો થાય તો શું?

આપણે, આપણા અંદર ગોરખ બની જઇએ,
પછી મછંદર આઘોપાછો થાય તો શું?

પ્રફુલ્લ દવે

કવિ પરિચય

          વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ જીવનની એવી એવી પરિસ્થિતિઓ જોયેલી છે કે, એક પક્ષ તો ખોટો હોય જ, અને મોટે ભાગે તો બન્ને ખોટા હોય ! આથી ક્યાંક કશુંક બરાબર ન હોય, તો તેને ખમી ખાવાની દૃષ્ટિ ધારણ કરવાનું તેઓ અહીં સૂચવે છે. માણસ પોતાની આજુબાજુ જોવા મળતી અસંગતતાઓ તરફ આવો દૃષ્ટિકોણ કેળવે તો કેટલા ટંટા અને ફીસાદ ઓછા થઇ જાય? આપણી અંદર જ પોતાના ગુરુ ગોરખનાથ થવાની વાત પણ બહુ સૂચક છે.

Published in: on May 3, 2007 at 1:00 am

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/03/to_shu_praful_dave/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. On May 5, 2007 at 1:01 pm પ્રફુલ્લ દવે, Praful Dave « ગુજરાતી સારસ્વત પરિચય Said:

    [...] રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 - [...]

Leave a Comment