દુઃખમાં વધારો કરી ગયા – ‘આદિલ’ મન્સૂરી

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

- ‘આદિલ’ મન્સૂરી

Published in: on May 16, 2007 at 8:00 am Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/16/dukhama_vadharo_adil_mansuri/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment