માનવ ન થઇ શક્યો – ‘આદિલ’ મન્સૂરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

- ‘આદિલ’ મન્સૂરી

Published in: on May 18, 2007 at 2:00 am Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/05/18/maanav_na_-adil_mansuri/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા….
    આદરણીય આદિલ સાહેબને
    જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.


Leave a Comment