હરીવર ઉતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
ફુંક હરીએ હળવી મારી, ગાયબ ખળભળ લુ,
શ્વાસ હરીના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબુ ,
ખોંખારો હરીએ ખાધો ને વાદળ ગરજ્યા ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રીભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
વાદળમાં ઘોળાયો હરીનો રંગ સભર ઘનશ્યામ;
હરી-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરીને હૈયે, તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.
મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
- ભગવતીકુમાર શર્મા
આ ગીત અત્યંત સુંદર સ્વર-રચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતી-ગીત સાંભળીએ ત્યારે પ્રતીતી થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતી હૃદયના પુર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પુજ્ય દેવ – વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરુપ સંગીત અને તેવા જ મીજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને ગુજરાતી સુગમ સંગીતનું એક અમુલ્ય નજરાણું બનાવી દે છે.
——————————
આદરણીય શ્રી. ભગવતીભાઇનો તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ કરવા માટે અમે આભાર માનીએ છીએ.
AFTER READING YOUR POEM,
I FELT THAT “HARIVAR TUZANE HARI GAYO…”
સુરેશભાઈ,
હરીવર ‘આપ’ને વર્ષારુપે ફળ્યા ? આશા રાખીએ એની કૃપા આપણી ક્ષુલ્લકતાઓને ધોધમાર વર્ષાજલથી ધોઈ નાખે.
તમને ભગવતી’પ્રસાદ’ પણ પ્રાપ્ત થઈ ગયાની ખુશાલી-વધાઈ ! હજી થોડી રાહ જુઓ બીજા અનેકો આવી જ રીતે તમારી મહેનતને અને નીષ્ઠાને સરાહવા તૈયાર છે.