ગણવેશમાં નથી – ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? જે આવેશમાં નથી.

હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચીંતા નહીં કરો;
મુળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી .

કીંચીત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી .

બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

ભગવતીકુમાર શર્મા 

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/07/22/ganveshama_b_sharma/trackback/

RSS feed for comments on this post.

4 Comments Leave a comment.

  1. બહુ જ સરસ રચના.

  2. બહુ જ ભાવવાહી ગઝલ

  3. બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
    આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

    આ શેર બહુ જ ગમ્યો.

  4. હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
    જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી

    Ati sundar… Juo to khara ketali najakat thi korado vinjayo chhe. Ghav dekhadya vagar vedana ni tivra anubhuti te aanu nam. Jiyo


Leave a Comment