નયણાં – વેણીભાઈ પુરોહિત (Venibhai Purohit)

નયણાં

ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં-
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊનાં રે પાણીનાં અદ્ ભુત માછલાં.

વેણીભાઈ પુરોહિત
જીવનકાળ: 1 ફેબ્રુઆરી, 1916 થી 3 ફેબ્રુઆરી, 1980

Published in: on December 8, 2007 at 9:27 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2007/12/08/%e0%aa%a8%e0%aa%af%e0%aa%a3%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%ab%87%e0%aa%a3%e0%ab%80%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4-venibhai-purohit/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment