કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ (Avinash Vyas)

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

અવિનાશ વ્યાસ

જીવનકાળ: જુલાઈ 21, 1911 થી ઓગષ્ટ 20, 1984.

ગુજરાતી ચલચિત્રોમાં આપેલા ગીત-સંગીતથી લોકપ્રિય થયેલા. જેમણે ‘પાંદડું લીલું ને રંગ રાતો’ કાવ્ય-સંચય આપેલો.

Published in: on February 7, 2008 at 6:21 pm Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/02/07/%e0%aa%95%e0%aa%82%e0%aa%95%e0%ab%81-%e0%aa%96%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%aa%9c-%e0%aa%8a%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. શ્રી અવીનાશ વ્યાસ એટલે ગુજરાતી ગીત સંગીતથી સૌને ઝૂમતા કરનાર્.ગાવાનું મન થઈ જાય
    તેવી તેમની રચનાઓ ની જેમ પ્રકૃતિ સાથે નું તેમનું ચીંતન ખૂબ ગમી ગયું.
    વસંતને વધામણા દેતી આકાશદીપની આ રચના સાચેજ મનને ઝૂલે ઝૂલાવી ગઈ.કવિ લોકને
    અંતરથી અભિનંદન
    પ્રકાશ દેસાઈ


Leave a Comment