કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી (‘Shunya’ Palanpuri)

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ  રતનની  ખાણ હતી, કોણ માનશે?

શૈયા  મળે છે  શૂલની  ફૂલોના પ્યારમાં!
ભોળા  હ્રદયને જાણ હતી,  કોણ માનશે?

લૂંટી  ગઈ  જે  ચાર  ઘડીના  પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા  જ  રામબાણ  હતી,  કોણ  માનશે?

આપી  ગઈ જે  ધાર જમાનાની જીભને,
નિજ  કર્મની  સરાણ હતી,  કોણ માનશે?

જ્યાં જ્યાં  ફરુકતી હતી  સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની  બુમરાણ   હતી,   કોણ   માનશે?

‘શૂન્ય’ પાલનપુરી

Published in: on February 18, 2008 at 9:06 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/02/18/%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%b6%e0%ab%87-%e0%aa%b6%e0%ab%82%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%a8%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%ab%80/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment