ડૉ જગદીપ નાણાવટીની બે ગઝલો

1-

અસંભવને સંભવ કરીને તો જો
છલોછલ આ મૄગજળ તરીને તો જો

મયે-મૈકદાનો નશો ઔર છે
પીવે કે ન પીવે, ભરીને તો જો

ગમે, તોયે દર્શાવશે અણગમો
ખભેથી, તું પાલવ, સરીને તો જો

બહુ ખેલ ગંજીફે ખેલ્યા હવે
વધ્યા કેટલા, પાથરીને તો જો

જશે કાફલામાં સતત ક્યાં સુધી ?
ચીલા અવનવા ચાતરીને તો જો

જીવ્યાથી વધુ અપશુકન શું હતાં ?
બિલાડી, મને આંતરીને તો જો..

———————————————–

2-

અનાદિ કાળથી ચાલી રહ્યું છે
જમા પાસું, સતત ખાલી રહ્યું છે

અમારું માન, ને સન્માન યારો
સદા હારેલ પાંચાલી રહ્યું છે

સુરાલયમાં વસ્યો હું એમ જાણે
કે સરનામુ હવે પ્યાલી રહ્યું છે

રુદન, થઈને રૂધિર ધસમસતું એવું
તમારું સ્મિત પણ સાલી રહ્યું છે

શબદ મારા આ બન્ને હાથ છે, જે
ગઝલ રૂપે કોઈ ઝાલી રહ્યું છે
 

ડૉ જગદીપ નાણાવટી  

Published in: on March 8, 2008 at 2:13 pm Leave a Comment

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/03/08/%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2/trackback/

RSS feed for comments on this post.

Leave a Comment