ગઝલ – ડૉ જગદીપ નાણાવટી

તસુએ ભાર એ હરદમ ન ખસતો
છતાં મંઝિલ સુધી લઈ જાય રસ્તો

સુરજની આંગળી આભે અડી ત્યાં
ભર્યો સંસાર આખો થાય હસતો

ભલે પડછાયો મોંઘો ભર બપોરે
સવારે ને, ઢળી સાંજે એ સસ્તો

ખબર છે દિલમાં તારા ક્યાંય છું ના
લટારો મારતો શમણે અમસ્તો

થયો છું સ્થિર મયખાને, હું ઉલટો
ઘણી વારે મસીદોમાં લપસતો

જીવન આખું જીવ્યો બાંધી કફન હું
મરણ પર જાળવી રાખ્યો શિરશ્તો

ડૉ. જગદીપ નાણાવટી

Published in: on March 27, 2008 at 7:57 pm Comments (1)

The URI to TrackBack this entry is: http://pateldr.wordpress.com/2008/03/27/%e0%aa%97%e0%aa%9d%e0%aa%b2-%e0%aa%a1%e0%ab%89-%e0%aa%9c%e0%aa%97%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa-%e0%aa%a8%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5%e0%aa%9f%e0%ab%80/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. ઘણી જ સરસ..અભિનંદન..ડો.સાહેબ ને…

    હું લખીશ કે….

    નજરો ની સામે છે સમંદર પણ,
    પાણી માટે રહ્યો છું હું તરસતો….


Leave a Comment