શ્રાધ્ધ
ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ
ને છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ દેશ
દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ
સદા વરસે શીશે , પિતૃઓની પ્રીતિ વિશેષ
લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ
સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ
ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન
થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન
જાશું ગંગાજી કે નર્મદાજી તટે કે જાશું સરોવર તીર
ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર
પધારો પિતૃલોકથી પંચ મહાયજ્ઞે વિશ્વદેવોને સંગ
ઉતારીએ પિતૃ ઋણ ને પામીએ સંસારે સર્વ આનંદ
રમેશ પટેલ ‘આકાશદીપ’
લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ
સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ
ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન
થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન
very informative and express feelings of heart.
Thanks for sharing.
Paresh Patel