”જન્માષ્ટમી”
આસપાસ ઈશ્વરના હોવાનો અહેસાસ માત્ર માનવીના ચિત્તને શાતા આપે છે.માધવની અવતરવાની
વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થને પાંગળો તો નથી બનાવતાને? પ્રારબ્ધના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ. અરે માધવને માનવી તરીકે તો મુલવીએ! કંસવધથી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
જ ટપકતો દેખાય છે ને ?માધવને માધવની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
ઈશ્વરનું અસ્તિત્વ છે? શ્રધાળુંને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
પુરાવો માનવાનો નથી! અચાનક વાતાવરણમાં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વરનો અહેશાસ છે.
માધવની અવતરવાની આ વેળા -કંસના કારાગૃહમાંથી મધરાતે અચાનક વાંસળીના એક સુરનું-એક સુગંધનું મથુરાથી ગોકુલ તરફનું પ્રયાણ એ લાગણીને આ કાવ્યમાં મેં ભરી છે. ‘
” જન્માષ્ટમી”
મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
વૃંદાવનની ગલી ગલીમાં વાંસળી થઇને ફરશે.
શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુરને,
ચરણ સ્પર્શીને શમવુજ્ પડેને યમુનાના આ પુરને.
ચૌદ ભુવનનો નાથ છુપાઈ, કરંડિયામાં મલકે.
નંદ ઘરનો ઉલ્લાસ જગતના અણુ અણુમાં પ્રસરે.
મોરપિચ્છનું મેઘધનુષ્ય હવે, અવની પર કોઈ રચશે.
યુગપુરુષ ઝંખતી આંખોમાં, હર્ષબિન્દુ તગતગશે.
- ડો સેદાની