તગડી સરકારે બગડી બેદરકારે ઉતાર્યા ઉપવાસે અન્ના હજારે
હિન્દ સેવક સેનાનીને જીવતર આરે ના રે નવરાશ ના રજા રે
હાં રે દીધી દારૂણ સજા રે
પ્રધાનો ખાતા પૈસા ખાતાં અહીં બિચારા અંજળ મૂકતાં આતા
નહીં રે સંભળાતા આ ભ્રષ્ટાચાર વિરોધી વા વંટોળિયા વાતા
ભૂખમરામહીં મરતી ભારતમાતા છે દિશાહીન તિરંગી ધજા રે
હાં રે દીધી દારૂણ સજા રે
ફરિયાદ ન કાન ધરે વાદ વિવાદ જ કરે એ ગૂંગળાવે વિશ્વાસ
સેવા પેગામ નીચે નેવા હાં ગામ વેચે વિકાસ નામે રે વિનાશ
સત્તા નશે નાચે કચેરી મ્હેલાતે રાચે નાગરિક શિરે ના છજા રે
હાં રે દીધી દારૂણ સજા રે
દેશ રોજી મનમોજી લૂંટે લાલચ લાંચે પ્રજા પીડિત પાયમાલ
જઠરાગ્નિ છે જાગ્યો, આવ્યો વારો કરવા ધારો જન લોકપાલ
લાત દઈ લૈ ઘૂસ જે ફોડે કારતૂસ નિર્જળ ધણ નહીં વેઠે વધારે
હાં રે દીધી દારૂણ સજા રે
દિલીપ ર. પટેલ
એપ્રિલ 2011
આજની પરિસ્થિતિનું સત્ય અને દર્દભર્યું દર્શન. રાજકરણના દૂષિત રંગો ઉપવાસી અન્ના જનતા ને
દેશ ખાતર વેઠી રહ્યા છે.
રમેશ પટેલ(આકાશદીપ)
તગડી સરકારે બગડી બેદરકારે ઉતાર્યા ઉપવાસે અન્ના હજારે
હિન્દ સેવક સેનાનીને જીવતર આરે ના રે નવરાશ ના રજા રે
હાં રે દીધી દારૂણ સજા રે ……………
Dilipbhai,
With these words you had told of the the JAGRUTI which ANNA HAZARE is trying to bring in India…NOW, with the Public awoke..it is hoped that the LEADERSHIP of India wakes up.
The Politicians with their “self-interests”are cunningly trying to break the Public Unity..,..Let us all be SAWDHAAN !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Dilipbhai…Inviting you to my Blog..Hope to see you soon !