આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ધડીભર અટકે, ચલમ પાય
ને પૂછે – કઈ પા રહેવાં રામ ?
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ !
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંધ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈ, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ !
માધવ રામાનુજ
અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: www.rrsheth.com
ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે
” ઉનાળા” પર કવિતા ….
“મંદ મંદ મલકાતો ને
સુસવાટા મારતો ઉનાળો
ને આંબાની ડાળી પર જુલાની જેમ
હિલોળા લેતો ઉનાળો
શીતળતાની મીઠી મીઠી લહેર
કેવો લહેરાવતો ઉનાળો
ઠંડી ધરાને એ શેક્તો
ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
અવિરત એક્લો એક્લો તપી તપી ને
દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
તોય લાગે અએ રંગીન મિજાજી
એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
મન મોહક લાગે ઉનાળો ”
કવિ : જાન
મલેક્પુર (વડ)
તા: વડનગર જી .મહેસાણા
મો.૯૯૨૪૬૧૦૧૨૪
posted 1 min ago by “
posted 1 min ago by ” Reply
કવિ -જાન
ગામ :મલેક્પુર તા.વડ્નગર જિ.મહેસાણા
પી: ૩૮૪૩૫૫ મો.૯૯૨૪૬૧૦૧૨૪
કવિતા
” વાયરા ”
” વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
ને આંબલિયાની ડાળી પર જામશે મધુર ડાયરા .
કોકિલ કંઠે મધુર ગીતો ગાશે કોયલડીઓ ,
ને ટેંહુક ટેંહુક કરતા રણકી ઉઠ્શે મોરલિયાના રણકારા.
અને વળી ફુલો તો વસંતની ખુશ્બુભરી,
આ ધરા ને મહેકાવી ઉઠશે જરા.
ને પેલા મજાના વ્રુક્ષો તો જાંજર પહેરી ,
થન થન કરતાં જરૂર નાચી ઉઠશે ખરા .
વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
હાં રે હવે માનવીયાંના મન રહેશે ઉમંગ ભર્યા .”
કવિ : જાન
પિંગબેક: માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય