અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.
– ભગવતીકુમાર શર્મા
જન્મ: સુરત (1934)
વ્યવસાય: પત્રકારત્વ
-શેર :-
૧. મળી છે આ જિંદગી તો હસતી હસાવતી રાખો
હશે આ આ જિંદગી હસતી તો કોઈ દર્દ નહી રહે
૨.કા લોક પ્રેમને બહાર શોધે ને કા લોક અહીં તહીં ભટકે છે
જરા આંખ મીંચી ભીતર માંહી જો અવિરત પ્રેમની ગંગા વહે છે .
૩.જિંદગીની સફ્રર ક્યાંક ટૂંકી અને લાંબી પણ હોય છે
પણ આ જિંદગીની આ સફ્રરમાં કેવું જીવ્યા તેનો જ મર્મ ગવાય છે
૪.મેં તો માંગ્યું ન્હોતું ને મને પ્રેમનો ગુલદસ્તો મળ્યો
પ્રેમ ક્યાં હોય છે આમ સસ્તો મને ગમતો તેવો જ રસ્તો મ્ળ્યો .
૫.અનુભવ દુનિયાના લઈને ઘડાયો છું ને
ઘસાઈ ઘસાઈ ને ચંદન બન્યો છુ.
કવિ : જાન
મલેક્પુર વડ
તા. વડનગર
જી : મહેસાણા
મો :૯૯૨૪૬૧૦૧૨૪
કાવ્ય
હા તું માને
જીવાડી
હસાવી
રડાવી
રહ્યો છે
ચલાવી
દોડાવી
ફરાવી
રહ્યો છે
ઉંઘાડી
જગાડી
રહ્યો છે
જેને તું ઈસુ, બુદ્દ્ધ, મહાવીર,
રામ, ક્રુષ્ણ ક હે છે
તે જ એ જ છે
તું માને તો સઘળુય છે
અને
ના માને તો ક્શુંજ નથી ..
કવિ : જાન
મલેક્પુર વડ
મો.૯૯૨૪૬૧૦૧૨૪
ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે
” ઉનાળા” પર કવિતા ….
“મંદ મંદ મલકાતો ને
સુસવાટા મારતો ઉનાળો
ને આંબાની ડાળી પર જુલાની જેમ
હિલોળા લેતો ઉનાળો
શીતળતાની મીઠી મીઠી લહેર
કેવો લહેરાવતો ઉનાળો
ઠંડી ધરાને એ શેક્તો
ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
અવિરત એક્લો એક્લો તપી તપી ને
દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
તોય લાગે અએ રંગીન મિજાજી
એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
મન મોહક લાગે ઉનાળો ”
કવિ : જાન
મલેક્પુર (વડ)
તા: વડનગર જી .મહેસાણા
મો.૯૯૨૪૬૧૦૧૨૪
posted 1 min ago by “
posted 1 min ago by ” Reply
કવિ -જાન
ગામ :મલેક્પુર તા.વડ્નગર જિ.મહેસાણા
પી: ૩૮૪૩૫૫ મો.૯૯૨૪૬૧૦૧૨૪
કવિતા
” વાયરા ”
” વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
ને આંબલિયાની ડાળી પર જામશે મધુર ડાયરા .
કોકિલ કંઠે મધુર ગીતો ગાશે કોયલડીઓ ,
ને ટેંહુક ટેંહુક કરતા રણકી ઉઠ્શે મોરલિયાના રણકારા.
અને વળી ફુલો તો વસંતની ખુશ્બુભરી,
આ ધરા ને મહેકાવી ઉઠશે જરા.
ને પેલા મજાના વ્રુક્ષો તો જાંજર પહેરી ,
થન થન કરતાં જરૂર નાચી ઉઠશે ખરા .
વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
હાં રે હવે માનવીયાંના મન રહેશે ઉમંગ ભર્યા .”
કવિ : જાન