ઉશનસ
રામની વાડીએ
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : .. રામની..
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : .. રામની..
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી, આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : .. રામની..
નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્
Advertisements
ખુબજ સુંદર કવિતા છે ..મનને ગમતી કવિતા છે
” ઉનાળા” પર કવિતા ….
“મંદ મંદ મલકાતો ને
સુસવાટા મારતો ઉનાળો
ને આંબાની ડાળી પર જુલાની જેમ
હિલોળા લેતો ઉનાળો
શીતળતાની મીઠી મીઠી લહેર
કેવો લહેરાવતો ઉનાળો
ઠંડી ધરાને એ શેક્તો
ને લ્હાય લ્હાય કરતો ઉનાળો
અવિરત એક્લો એક્લો તપી તપી ને
દાજેલો દાજ કાઢ્તો ઉનાળો
તોય લાગે અએ રંગીન મિજાજી
એથી તો ગુમસુમ રહેતો ઉનાળો
મન ગમતી ઠંડાઈની ટાઢ્ક થતાં
મન મોહક લાગે ઉનાળો ”
કવિ : જાન
મલેક્પુર (વડ)
તા: વડનગર જી .મહેસાણા
મો.૯૯૨૪૬૧૦૧૨૪
posted 1 min ago by “
બહુ સરસ
કવિ -જાન
ગામ :મલેક્પુર તા.વડ્નગર જિ.મહેસાણા
પી: ૩૮૪૩૫૫ મો.૯૯૨૪૬૧૦૧૨૪
કવિતા
” વાયરા ”
” વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
ને આંબલિયાની ડાળી પર જામશે મધુર ડાયરા .
કોકિલ કંઠે મધુર ગીતો ગાશે કોયલડીઓ ,
ને ટેંહુક ટેંહુક કરતા રણકી ઉઠ્શે મોરલિયાના રણકારા.
અને વળી ફુલો તો વસંતની ખુશ્બુભરી,
આ ધરા ને મહેકાવી ઉઠશે જરા.
ને પેલા મજાના વ્રુક્ષો તો જાંજર પહેરી ,
થન થન કરતાં જરૂર નાચી ઉઠશે ખરા .
વાવરા રે લાગ્યા હવે વસંત કેરા વાયરા,
હાં રે હવે માનવીયાંના મન રહેશે ઉમંગ ભર્યા .”
કવિ : જાન