દામ્પત્ય જીવન
જીવન એક સંગ્રામ છે,
ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,
કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,
સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)
દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,
પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,
દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,
જે થકી જીવન સંસારમાં ખરું સુખ મળ્યું (૨)
વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,
વિપત્તિઓ પણ વહેંચી લીધી,
જ્યાં જ્યાં ઘા પડ્યો,
ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)
ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,
રોષ પણ અનુભવ્યો હશે,
છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,
ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)
લગ્ન તો કોઈ કરાર નથી,
લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,
સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,
દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે
ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી