છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો – ગુરુદત્ત ઠક્કર

છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો,
રણ સમો કોરાપણાં નો ભાસ પણ ગયો!

આયનો તૂટ્યો, ને જાણે શું ગજબ થયો,
‘હું’પણાં નો રોજીંદો અહેસાસ પણ ગયો!

ઓઝલ થયાં ઉજાસ,ને કલરવ શમી ગયો,
ફૂલોને હવે સૂર્યનો વિશ્વાસ પણ ગયો!

જીંદગી બનતી રહી જાણે કેવી નઝમ!
કાફીયા બેઠો નહિ, ને પ્રાસ પણ ગયો!

થાક્યાં જ્યહી આ હાથ શુનચોકડી રમી,
ધડકનો વિરમી, ને પછી શ્વાસ પણ ગયો!

-ગુરુદત્ત ઠક્કર

જય મહાશિવરાત – ડૉ. ગુરુદત્ત ઠક્કર

જય મહાશિવરાત:

ગઝલની ભાંગ પીને તું સદાયે મસ્તીમાં રહેજે,
ફકીરી ધડકનોમાં ને,  હિમાલય શ્વાસમાં ભરજે।
સંબંધોના સમુદ્ર-મંથન સતત જે વિષ અર્કે છે,
ધરીને  ગર્દને  એને  જરા નીલકંઠ   થઈ જાજે॥

ડૉ. ગુરુદત્ત ઠક્કર

a practising Radiologist/part-time teacher in a medical college with a passion for indian music (learning classical vocal) and love for literature-especially Gujarati. 

ગુજરાતી વેબ-જગતમાં ઠકકર ફેમિલીનો  બ્લોગ  નિતનવશબ્દ… http://www.neetnavshabda.blogspot.com/   A webmagazine for you to revive, share & enjoy beauty of Gujarati & Hindi poetry and gazals..  કવિશ્રી કૃષ્ણ દવેની  શિક્ષણવાણી   (આ સઘળાં ફૂલોને કહી દો,યુનિફોર્મમાં આવે, પતંગિયાંને પણ કહી દો સાથે દફ્તર લાવે।           મનફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું,  સ્વીમિંગપુલના સઘળાં નિયમોનું પાલન કરવાનું।… ) કવિતા આપ એમના બ્લોગ અચૂક માણશો.