મિત્રો,
૧૯૪૭-હિન્દુસ્તાનની આઝાદીની પૂર્વ સંધ્યા -હિન્દુસ્તાન પાકિસ્તાન બે ભાગલા માં વહેચાયું -એ સમયે બંગાળમાં નોઆખલીમાં હિંદુ મુસ્લિમ વચે ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યા !
એ સમયે દીલ્લ્હીમાં ખેલાઈ રહેલા રાજકીય કાવાદાવાથી અલિપ્ત એવા અલગારી મહાત્મા ગાંધી નોઆખલીમાં આ કોમી દાવાનળને શાંત પાડવા પહોચી ગયા હતા.
એ પ્રસંગે મુંબાઈમાં વસતા શ્રી શાંતિલાલ શાહ એ પૂજ્ય બાપુ પર એક કવિતા લખીને ગાયેલી જેની રેકોર્ડ પણ બહાર પડેલી! એ કવિતાના આધારે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા અમદાવાદના કોમી હુલ્લડ વખતે મેં એક કવિતા લખેલી જે ગુજરાતના બધા અખબારોમાં એક સાથે પ્રસિદ્ધ થયેલી. -તમને ગમશે?
– ડો સેદાની
”ગોધરા કાંડ”
અમદાવાદની પવિત્ર ધરતી સૌથી બની અનોખી,
નિજ બાંધવના રક્ત બિંદુએ રજ રજ રંગી દીધી.
કોઈના બાળક કોઈની બેની કોઈની માતા પોઢી ,
કોઈ પ્રિયાના પ્રીતમ દેવે અગન પિછોડી ઓઢી.
અંગે અંગે રાગ દ્વેષની ભીસણ આગો પ્રગટી,
ઝખમ થયા અંતરમાં ઊંડા પીડા આકરી ઉપડી.
ઔષધ લઇને હકીમ આવો હરવા તમામ રોગો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.
નિશદિન જેની શીતલ છાંયે માનવ બાળક રમતા,
હાય આજ ત્યાં વાઘ દીપડા ગીધડા ભોજન કરતા.
મુરદાને સંજીવન કરવા લાવો પ્રેમ કટોરો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.
મંદિર ને મસ્જીદના સુણજો બોલી રહ્યા મિનારા ,
હિંદુ મુસ્લિમ બેઉ લાલ છે ભારત મા ના પ્યારા .
ઝેર બધું આ પીવા હવે આવે શંકર ભોળો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદય ખોલો.
ભાગ્ય હીન આ ભૂમિ ઉપર ભાઈ ભાઈ જો જગડે
ભાન ભૂલીને ખંજરથી નિજ માનવ અંતર ચીરે.
રાંક બિચારી બેનીની પણ લાજ આબરૂ ઢાંકી ,
કીધા અત્યાચાર ઘોર રે પાપ લીલા વિસ્તરી.
આંસૂ આજ લુછવા દો અમને નથી નીરખવા દોષો ,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હૃદય ખોલો.
પ્રેમ અગ્નિની ધુમ્ર શિખાઓ ઉંચે ગગને ઉડજો,
બિરાદરીના ભેદભાવને બાળી નિર્મૂળ કરજો.
લીલા ભગવા દૈત્ય દાનવના આજ સિંહાસન ડોલો,
ઓ સ્વર્ગ દેવતા એક વાર આ માનવ હદયને ખોલો.
– ડો સેદાની
Like this:
Like Loading...