આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.
ચર્ચાએ આજ ચારેકોર જમાવટ કરી છે.

એજ હાથમાં કા અમારી મોતનો સામાન?
જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે.

હસતા રહ્યા અમે એક રંગીન ભ્રમમાં,
કાપી અમ ગરદન એમણે ઈબાદત કરી છે.

પ્રેમથી સીંચે, ઉજેરે, કાપે, ધરે, સજાવે,
પ્રેમના અર્થમાં જો કેવી મિલાવટ કરી છે.

અમારા મોતથી શણગાર્યા છે પ્રસંગો,
કાયમ અમ ભોગે એણે કરામત કરી છે.

કાપીને વારંવાર પછી છાંટે છે પાણી,
અમારા મોત બાદ કેવી મથામણ કરી છે.

રાખવાને મહેકતા હર સબંધો એણે,
કાયમ જ્યાં ત્યાં અમારી સખાવત કરી છે.

Dr.Suresh N. Kubavat.
10,Sant Kutir,Muni Seva Ashram,Goraj,Vadodara.

આપણે કેમ મળતા નથી ? – ડૉ. સુરેશ કુબાવત

આપણે કેમ મળતા નથી ?
———————————–
એ તરફ હવે રસ્તાઓ વળતા નથી
શું એટલેજ આપણે મળતા નથી ?

ઉગુ ઉગુ થાય એક કેડી તારા તરફની
ખૂટે છે એટલું કે પગલા હજુ પડતા નથી

વ્યર્થ મથો છો એને ઝીલવા, ઓ આયનાઓ
સૂર્યના પ્રતિબિંબો એમ રેઢા- રઝળતા નથી

માંડો કાન તો દરિયો ઘૂઘવશે મહી
ઝાંઝવાઓ કદી એમ ખળભળતા નથી

ઉઘડી ગઈ છે આંખ ક્યારની અમારી
એટલું ખરું કે હવે સળવળતા નથી

ખૂટે છે એમાં જે અટવાણા સાત સૂરમાં
ને આઠમા સુર કાજ ટળવળતા નથી.

ડૉ. સુરેશ કુબાવત

શબ્દ, સંવેદના અને સંગાથનું મેઘધનુષ માણવા એમના બ્લોગની મુલાકાત લેવી જ રહી.
http://koobavat.wordpress.com/