જાપાનમાં તા.૧૧.૦૩.૨૦૧૧ન તોજ મહાભયંકર ભૂકંપ આવ્યો. એ પછી ઊઠેલી સુનામીના પ્રચંડ તાકાતમાં જાપાનના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં ખુવારી, તારાજી સર્જાઈ છે એનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું છે, ધ્રુજી ઉઠ્યું છે, રડી રહ્યું છે….
આ સંદર્ભે હજ્જારો માનવ ને મહાલયને ડૂબાવતા મહાપ્રલય શા ધરાકંપ ને સુનામીની પીડા ને વ્યથા અમદાવાદથી તેજપાલ રમણલાલ ” તેજ ” અત્રે રજુ કરે છે.
ઓ પ્રલય !( સાંપ્રત કાવ્ય )
શાને ધ્રુજાવી ધરતી અને
શાને દીધો ધ્રુજતો – સમય ?
વિનાશ વેરી ચાલ્યો ગયો
સુનામીનો મહાપ્રલય !
દરિયો બધુંયે પી ગયો
તોતિંગ જહાજો, મહાલય !
ખુવારીના માતમ મહીં
રઝળી રહ્યાં લાખ્ખો હર્દય !
ઓ પ્રલય !
હસતું – રમતું નગર હતું એ
શાને દીધો ડૂબતો – સમય ?
સગપણ, સંપત્તિ , સ્વપ્નો હતાં
શાને દીધો રડતો – સમય ?
કાળમીંઢ
ઓ પ્રલય,
તે છાપી દીધો કાળો-સમય !
છિન્ન-ભિન્ન ભલે આજે
પામશું અમે કાલે વિજય !
લુછી આંસુ એકબીજાનાં
કરશું માનવતાનો જય !
વિનાશ વેઠ્યો ભલે આજે
ઉગાડ્શું ઉગતો – સમય !
ઘોર અંધાર પછી આવે
” ઉગતા સૂર્ય ” નો સમય !
ઓ પ્રલય ,
ઓ મહાપ્રલય,
મ્યાન કર તારા ” તેજ ” વલય ! !
ॐ શાંતિ
તેજપાલ રમણલાલ ” તેજ ”
૧૫.૦૩.૨૦૧૧, અમદાવાદ
info@tejpalramanlal.in
Mobile : 09898195410