સમુદ્રનાં પ્રશ્નો
પ્રથમ તો દેવ દાનવોએ મન્થ્યો,
રત્નો, માણેકો ને અમૃત કળસ જુત્વ્યો,
શું કહું મારી વ્યથા આપને ,
પીવા ઝેહરનો ગુટો એ ના મુક્યો,
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?
તમ પર ફેકું પથ્થર, તો અપમાન લાગે ,
મેં તો અસંખ્ય જીલ્યા રામનાં ,
શું મનએ જરાય ના વાગે ?
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?
મારી પાસે ૯૯૯ નદીઓનાં ખાતા ,
કેટલાયના પાપ ને અસ્થી ધોવાતા ,
ફાયદો શું આ જમાકારીનો જ્યાં ,
રોકડેથી પુણ્ય ને ઉધારમાં પાપ વેચાતા.
શું મને સમજો છો વિના વ્યાજની બેંક ?
મને સમુદ્ર ગણો છો કે સુદ્ર ?
સમજનારા ચેતી જજો, બચી હોય થોડી શરમ ,
સુનામી ને પુર તણા, મારા રસ્તા નહીતો “પરમ”.
પરેશ મેહતા “પરમ”