માનવી નું જીવન
મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,
માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ .
ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,
તો ક્યારેક ,સાદગીસભર સૌમ્ય શાંત .
ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,
ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .
ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,
તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .
ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ ,
તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .
જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,
પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,
ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,
તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી .
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.
– પારૂ કૃષ્ણકાંત “પિયુની”