માણસ- ભગવતીકુમાર શર્મા

 અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

                         

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;

અમે  વારસાગત  સમસ્યાના  માણસ.  

                 

‘કદી’થી  ‘સદી’ની  અનિદ્રાના માણસ;

પ્રભાતોની  શાશ્વત  પ્રતીક્ષાના માણસ.

                 

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;

સડકવન્ત  ઝિબ્રાતા  ટોળાના  માણસ.

              

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?

‘ટુ બી-નૉટ  ટુ બી’ની  ‘હા-ના’ના માણસ.

                  

ભરત    કોઈ   ગૂંથતું   રહે    મોરલાનું;

અમે  ટચ્ચ   ટૂંપાતા   ટહુકાના  માણસ.  

                     

મળી   આજીવન  કેદ  ધ્રુવના   પ્રદેશે;

હતા  આપણે  મૂળ   તડકાના  માણસ.  

          

–  ભગવતીકુમાર શર્મા

         

જન્મ: સુરત (1934) 

વ્યવસાય: પત્રકારત્વ