ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો…(૨)
માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો……
સપનાની આ દુનિયામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિશાથી,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો……
ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો ….
જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે……
જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે……
-મહેન્દ્ર ભટ્ટ
મહેંદ્રભાઈની વધુ રચનાઓ માણવા અને એમની કવિત્વ શક્તિ જાણવા એમના બ્લોગની મુલાકાત અવશ્ય લેશો. http://mogaranaphool.blogspot.com/
આભાર.