વિવેકયોગ

 આસ્તિકતા કદી પણ તર્કસાધ્ય નથી હોતી, શ્રધ્ધાસાધ્ય હોય છે.  બૌધ્ધિકતા જેમ તત્વ છે, તેમ શ્રધ્ધા પણ તત્વ છે. જેમાં બન્ને તત્વો ખૂબ વિક્સ્યાં હોય તેનું જીવન ધન્ય બની જાય. બૌધ્ધિકતા વિનાની શ્રધ્ધા, અંધશ્રધ્ધા થઈ જવા સંભવ છે, અને શ્રધ્ધા વિનાની કોરી બૌધ્ધિકતા, એ નાસ્તિકતા થઈ જતી હોય છે. આ બન્ને કલ્યાણકારી તત્વોનો ઉચિત સમંવય કરવો એ વિવેકયોગ છે.
જીવનને કદી પણ શતપ્રતિશત તર્કસંગત કરી શકાતું નથી, ચુસ્ત નાસ્તિકો કે તાર્કિકોના જીવનમાં પણ કેટલીક બાબતો તર્કથી પર હોય જ છે. ખાસ કરીને લાગણીઓનું ક્ષેત્ર તર્કની કર્કશતાને સહન નથી કરી શકતું.
– સ્વામી સચ્ચિદાનંદ